Tuesday, April 26, 2005

summer- ચૈત્ર-વૈશાખ ના વાયરા

ચૈત્ર અને વૈશાખ ના વાયરા શરુ થઈ ગયા છે અને ગ્રીષ્મ ઋતુ પોતાની સવારી લઈ નીકળી પડયા છે માટે જ ઉનાળા નો ખરેખર સાચો અનુભવ કરવો હોય તો સૌરાષ્ટ્ર-કચ્છ કે ગુજરાત મા આવુ પડે અને ઉનાળા નુ ખરેખર સૌઁદર્ય જોવા મળે માટે જ આપણી ભાષા મા આના માટે સ્વ શ્રી અવિનાશભાઈ એ એક ખુબ સુઁદર મજાનુ એક ગીતની રચના કરી હતી જેના શબ્દો હતા
"તારો છેડ્લો તુ રાખને માથે પર જરા
આતો ચઈતર વેશાખ ના વાઈરા,
તારી વેણી ની ફુલ મહેકી જશે

આમ ઉનાળાની મજા લેવી હોય તો "બરડા ડુઁગર" જેવુ ઉતમ કોઈ સ્થળ નથી માટે જ પ્રાકુત કવિ એ કહયુ છે ગામડાઁ મા રહેતા અલડ "મેર જુવાન માટે:
"ચકકર લગાવતો કો મેર જુવાનડો,
ફરફરતી બાબરીએ વીઁટી બાઁધેલ એણે ગુઁદીની ડાળખી.
ને વાન એનો ચકચકતો લસળનો ગાઁઠિયો-
ભાળ્યો ભાળ્યો ને કૈઁક ગામડાની છોરીઓનાઁ
!

સાઁબેલાઁ અટકયાઁ

ને ચાળણીઓ લટકી
ને ઘડુલાઓ છટકયા
ને ચૂલા ઓલાણા
ને ડોકાં લંબાંણાં.
આમ કોઈ મેર જુવાન ના નીકળવાથી કેવી હાલત થાઈ છે ગામની યુવાન છોકરીઓની તેનુ ઉપરોકત પ્રાકુત કાવ્ય મા વર્ણન આપવા મા આવેલ છે.
આમય પોંરબંદર મા ઉનાળાની ઓરજ મઝા છે,એક તો દરિયા કિનારાથી આવતો ભેજવાળો ઠંડો પવન ને રાત્રિના સમયે ગુજરાતી સુંગમ સંગીત કે શાસ્ત્રીય સંગીતની મહેફીલો ને મોઢાંમા બનારશી 120 તમાકુ પાન ને ધીરે ધીરે વહેતુ ગીત "છૈલાજી રે મારી સાટે પાટણીથી પટોળા લાવજો" કે પછી "તમારા અંહી આજ પગલા થવાથી ચમન બધાને ખબર થઈ ગઈ છૈ " આમ આવા ગીતો ગવાતા હોઈ ને મોંમાં પાન ભરયુ હોય તેની ઔરજ મઝા છે.

તંમચો : જે માણસ બિનજરુરી વસ્તુઓ ખરીદયા કરે છે,
એને એની જરુરી વસ્તુઓ વેચવાનો વારો આવે છે.
[જાપાનીઝ કહેવત]





No comments: