Sunday, December 25, 2005

when i thought-મારા વિશે વિચાર કરું છું ત્યારે

આજે આપણે માયા એંજેલુ ની કવિતા કે જેનો અનુવાદ મહેશભાઈ દવે કરેલ છે તે પ્રસ્તુત કરુ છું.કાવ્યમાં માયા કહે છે કે જ્યારે હું મારા વિશે વિચારુ કરું છુ ત્યારે હસીહસી ને બેવડી થઈ જાઉ છું કારણે એક સમય એવો હતો કે જેને ઘરે હું કામ કરતી હતી તેની નાનકડી બેબી પણ એય છોકરી કહીને બોલાવતી આવા અનેક અપમાનો સહન કર્યા હતા અને જ્યારે માનવી ગરીબ હોય છે ત્યારે અનેક પ્રકારની લાચારી ભોગવી પડે છે.કવિશ્રી સુરેશ દલાલે આ કાવ્યના વિવેચનમાં લખેલ કે આમ તો અંદર જવાળામુખી છે,ઝુકી ન જાઉ એટલું સ્વાભિમાન છે તો સામા પક્ષે ફીટે નહીં એવી ગરીબી છે.ભુખ્યં પેટ હમેંશા દુ:ખી હોય છે.આસપાસના વિશ્વને જોઈ લીધું.જોવા જેવુય નથી અને રોવા જેવુંય નથી.હસીહસીને લોથપોથ થઈ ગઈ છું.માણસો જોઈ લીધા.સ્કીન ડીપ કલ્ચરના માણસો છે.ફળનો પાક ઉતારે છે પણ એમને ફળના ગર્ભમાં કે ફળના આત્મામાં રસ નથી. એ લોકો તો છાલ ને છોતરાં ખાય એવા માણસો છે અને એટલે જ આ બધાને જોઈને રડવું આવે ત્યાં સુધી હસું છું.
મારા વિશે વિચાર કરું છું ત્યારે
***************************
મારા વિશે વિચાર કરું છું ત્યારે
હસીહસીને લગભગ મરવા જેવી થઈ જાઉં છું
મારું જીવન એટલે એક મોટી મજાક :
નૃત્ય મારું ચાલવા બરાબર ને
ગાયન મારું બોલવા બરાબર
એટલું તો જોરથી હસવું આવે છે કે
શ્વાસ રુંધાય છે ને ઉધરસ ચડે છે
મારા વિશે વિચાર કરું છું ત્યારે
આ સદગૃહસ્થોના વિશ્વવમાં
મેં કાઢયાં છે સાઠ વર્ષ :
જેની હું સંભાળ રાખું છું તે બેબી,
‘એય છોકરી’ કહીને મને બોલાવે છે
ને મારે તો ભાઈ કામ કરવું છે તેથી
તેને હું ‘બેન-બા’ કહી સંબોધું છું
ઝુકે નહી તેટલું અભિમાન
ફીટે નહીં એટલી ગરીબી
પેટ દુખી જાય એટલું હસવું આવે છે.
મારા વિશે વિચાર કરું છું ત્યારે.
મારા લોક પણ મને હસાવે છે
એટલા જોરથી હસાવે છે કે
હું મૃતપ્રાય: થઈ જાઉ છું .
તેઓ ફળના પાક ઉતારે
પણ ખાય છે માત્ર તેના પરની છાલ
રડવું આવે ત્યાં સુધી હસું છું
મારા લોક વિશે વિચાર કરું છું ત્યારે.
=કવયિત્રી માયા એંજેલુ -અનુવાદ મહેશ દવે