Sunday, January 29, 2006

black flower- કાળું ફૂલ

ઈસ્લામીક કટરવાદ કેવો હોય છે તે આપણે અફઘાનિસ્તામાં જ્યારે તાલેબાન ની સતા હતી ત્યારે સમગ્ર વિશ્વે અનુભવેલું,આપણા ગુજરાતી સાહિત્યના કટાર લેખો ના જે ભિષ્મપિતા ગણાય છે તેવાં શ્રી ચંદ્રકાંતભાઈ બક્ષી ના લેખ 'વાતાયન' માં એક કવિતા તેમણે પોતાના લેખમાં આપેલ તે અહીં રજુ કરુ છું.
કલોઝ અપ
*********
અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં 29 વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની 25 વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી. પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો. અને પત્ની નાદિયા કવિ હતી જેણે 'ગુલે-દૂદી'(કાળું ફૂલ ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ, નાદિયાના ગઝલ સંગ્રહમાંથી એક ગઝલ.:
કાળું ફૂલ

મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની
હું ગાઉં કે ન ગાઉં મારા કિસ્મતમાં નફરત જ છે.
મારા મોઢામાં કટૂતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ?
મારા મોઢા પરનાં આ ક્રૂર ફટકા વિશે શું કહું ?
હું આ ખૂણામાં પાંજરામાં બંધ છું, વિષાદ અને વેદના સાથે.
હું કોઈ આશય માટે જન્મી નથી, અને મારા હોઠ સીવી લેવાના છે.
મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે, ખુશીની મૌસમ
પણ મારી પાંખો બંધ છે અને હું ઊડી શકતી નથી.
હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યારે મારું પાંજરુ ખૂલશે
અને હું મારું માથું બહાર કાઢીને મસ્તીથી ગઝલ ગાઈશ.
હું પવનમાં હાલતી લતા જેવી કમજોર નથી
હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે...
-લંડ્ન 'ટાઈમ્સ' :નવેમ્બર 13,2005



Read
Nadia Biography and Poetry.






Thursday, January 26, 2006

my voice- મારો અવાજ

આજે પ્રજાસતાક દીવસ છે, દરેક દેશને પોતાનું બંધારણ હોય છે અને તે બંધારણ તે દેશની છબી અને મિજાજ પ્રસ્તુત કરતુ હોય છે પણ આપણા દેશનું બંધારણ એક એવી ગાય જેવુ છે કે જેના હાથમાં સતા હોય તે આ ગાયરુપી બંધારણ ને મનફાવે તેટલીવાર દોહી શકે છે.
કરમની કઠણાઈ તો એ છે કે આપણ ને વડાપ્રધાન પણ ચાટણવૃતી જેવો મળ્યો, સાઉદી અરેબીયા નો રાજા જે પ્રજાસતાક દીવસ નો મુખ્ય અતિથી હતો તેને એરપોરર્ટ પર લેવા આપણા આ વડાપ્રધાન ખુદ ગયો[કોઈ દેશમાં આવુ બનતુ નથી કારણ કે વડાપ્રધાન ના પદની એક ગરિમા હોય છે] અને આ સાઉદી અરેબીયાનો રાજા જે ખુદ લોકશાહી નો વિરોધી છે અને અન્ય ધર્મ પ્રત્યે ભેદભાવ રાખે છે તેને આપણે મુખ્ય અતિથી તરીકે રાખ્યો.
જાવા દયો આ બધી વાતો આ પોપાબાઈ નું રાજ છે, કવિ મહેશ ભટ પોતાના કાવ્યમાં કહે છે :
અવાજના અનેક રુપ છે.....
દીવાળીના ઉત્સવ વખતે
કાન ફાડી નાખતા ફટાકડાઓમાં
અવાજ ધુમાડો બની જાય છે......
જેની અડધી વસતિ
જ્યારે અડધી ભૂખી રહેતી હોય ત્યારે
પ્રજાસત્તાક દિને આકાશમાં ઊડતા હેલિકોપ્ટરની
ઘણઘણાટીમાં અવાજ અશાંત બની જતો લાગે છે !
જુઠાં,પોકળ વચનોનો વરસાદ વરસાવતા
નેતાઓના કર્કશ ભાષણોના ભાર નીચે
એ ચગદાઈ જાય છે......
ભાડૂતી માણસોના 'ઝિંન્દાબાદ' ના સૂત્રોમાં
ખરીદાયેલો અવાજ 'કોલાહાલ' બની કાય છે.
ને રેલ્વે પ્લેટફોર્મ પર રોજી રળવા બરાડા પાડીને કંટાળો
આપતા ફેરિયાઓનો અવાજ 'ઘોંઘાટ' લાગે છે.
'આવો' ના અવાજનું અમૃત મે પીધું છે....
'આવજો' નુ માધર્યુ મેં માણ્યું છે.
કેટલાક અવાજ કર્ણપ્રિય હોય છે
જેમ કે વહેતા પાણીનો
જંગલમાં સંચરતા પવનથી નાચતાં પાંદડાઓનો
શૈયામાં મધરાતે પાસું ફેરવતી મુગ્ધાની બંગડીઓના
રણકારનો
અને હમણા જ બોલવા શીખેલા બાળકની
અસ્પષ્ટ કાલી બોલીનો.....
પણ...હું એ અવાજની પ્રતીક્ષા કરું છુ
જે માત્ર મને જ સંભળાવાનો છે
જેના આંદોલનો પકડી હું ઊર્ધ્વગામી બનવાનો છું....
જે મારા અંતરમાંથી ઊઠવાનો છે....
એવો મારો અવાજ...
=કવિ મહેશ ભટ

Sunday, January 15, 2006

my country's search a candle- મીણબત્તીની શોધાશોધ ચાલે છે......

હમણા પોરબંદરમાં દંભીઓનો મેળો હતો અને જેમાં આપણા ઈંડિયાના[ભારત ના નહીં] રાષ્ટ્રપતિ તેના અધ્યક્ષ હતા આ મેળાનુ નામ હતુ "વેલ્ય એજ્યુકેશ્ન" અને રમેશ ઓઝા નામના કથાકાર કે જે કર્મકાંડીઓની ફેકટરી ચલાવે છે અને જેમાં ફકત બ્રાહમણ લોકોને ને જ પ્રવેશ આપવામાં આવે છે તે સંસ્થામાં એક વિજ્ઞાન ગેલેરીનુ ઉદઘાટ કરવાનુ.
રાષ્ટ્રપતિ પોરબંદર આવ્યા અને 6[છ] જીલ્લાની પોલીસ તેના રક્ષણ માટે આવી અને બીજા અગણિત ઓફિસરો આવ્યા[ફરજંદેખાસ] અને રાષ્ટ્રપતિ ને મજા આવે કે નાગરિકો ખુશાલીમાં છે તે માટે જે લોકો આખા વર્ષ ના ખીચડી-ચોખા ખાઈ શકે તે માટે પતંગ નો ધંધો કરતા હતા તેને દુર કર્યા અને અનેક લોકોને ધંધા બંધ કરાવ્યા,આમ આ મહાશય આવ્યા અને પોતાનુ કર્ણપ્રિય ભાષણ આપ્યું[અંગ્રેજીમાં આપ્યું] કોઈને ક'ઈ ખબર પડી નહી.આ મહામાનવ બાળકો ગમે છે તે માટે દરેક શાળામાંથી ફરજીયાત બાળકોને લઈ આવ્યા[આજુબાજુ ના દરેક ગામડામાંથી].
ચાલો તો આનો ખર્ચ માંડીએ; 6 જીલ્લાનીએ પોલીસ નો ખર્ચ અને તેના વાહનો,અગાઉથી આવેલા ફરજંદેખાસ ના ખર્ચાઓ. મારા માનવા મુજ્બ 1 થી 2 કરોડ ની વચ્ચે ખર્ચ આવ્યો અને મહામાનવે જે જે 2 બિલ્ડીંગ ના પોતાના કમલ હસ્તે ઉદઘાટ કર્યા તેની કિંમત અંદાજીત 25 લાખ છે.
તો ચાલો આપણે બધા સાથે મળીને બોલીએ "લોકશાહી અમર રહે", "રાજાશાહી નો નાશ થાય"[આ સૂત્ર આપણે દંભી છીએ એટલે જોરથી બોલવાનુ અને પ્રથમ શબ્દ નો સ્વર લંબાવાનો] મહેરબાની કરીને ડો. સિધ્ધાર્થભાઈ અને પંચમભાઈ કોઈ એવી દવા કે ઈંજેકશન આવતા હોય જે ઉપરના સૂત્ર લંબાવીને ગાઈ શકાય તો મને મોકલાવજો જેથી હું પણ અન્ય લોકોની જેમ સુ-સ્વર બોલી શકું.

અરે કોઈ તો
********
હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્ર્ક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટયુબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળુ થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપ-લે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફયુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ.....
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
"કાલીદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
કો'ઈ તો
ઈલેકિટ્રશિયને બોલાવો ! "
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
"અરે ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ......
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે......
=કવિ જગદીશ જોશી

Sunday, January 01, 2006

never voice can dig - અવાજ ને ખોદી શકાતો નથી

આપણે સાચુ બોલી શકતા નથી ને ખોટુ સાંભળી શકતા નથી કારણ ? આપણુ જીવન દંભ જેવુ થઈ ગયુ છે આપણે બુધ્ધિથી વધુ જીવન જીવીએ છે ચાર્લી ચેપ્લિને કહયુ હતુ કે "we think too much and feel too little.more than machinery we need humanity.more than cleverness we need kindness and gentleness.without these qualities life will be violent and all will be lost અર્થાત 'આપણે બુધ્ધિથી વધુ પડતુ જીવીએ છીએ અને હદયથી નહીવત.યંત્રોથી વિશેષ તો આપણને માનવતાની જરુર છે.ચાલાકીથી વિશેષ તો આપણને દયા અને નમ્રતાની જરુર છે. આ સદગુણો વિના જીવન હિંસક બની જશે અને આપણો સર્વનાશ થશે'. આજે આપણો પોતાનો અવાજ પણ ભાડુતી બની ગયો છે અને આપણુ જીવન ધુતરાષ્ટ્ર જેવુ થઈ ગયુ છે. ચાલો આવી ચિંતાઓની કરીને આપણો રવિવાર શા માટે બગાડીએ ? આજે કવિ લાભશંકર ઠાકર નુ કાવ્ય પ્રસ્તુત કરુ છુ અને તેનુ શિર્ષક છે "અવાજને ખોદી શકાતો નથી".

અવાજને ખોદી શકાતો નથી.

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતુ6 નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.તો
સફેદ હંસ જેવા આપણા સપનાઓને
તરતાં મૂકવા માટે. ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડયું છે એ ખરું.
પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ અવાજને ખોદી શકાતો નથી નૈ ઊંચકી શકાતું નથી મૌન.
=કવિ લાભશંકર ઠાકર