Tuesday, March 28, 2006

the Great Gujarati Author-મહાન ગુજરાતી વીર નુ પ્રસ્થાન


ગુજરાત નરકેસરી ચંદ્ર્કાંત બક્ષી


તારીખ 25-3-2006 શનિવાર ના રોજ ગુજરાત પાસેથી કુદરતે એક અમુલ્ય રતન છીનવી લીધુ,ચંદ્ર્કાંત બક્ષી એ ગુજરાતી પ્રજાનો આત્મા હતા જેણે અમારી જેવા અનેક ને વિશ્વના દરેક વિષય વિશે માહિતી આપી પછી તે બાકુની કે નિત્સેની અરાજકવાદી ફિલોસોફી હોય કે લેટીન સાહિત્ય હોય,આ બધુ અમોને આપ્યુ અને જીવનમાં કેમ ખુમારીથી ને મર્દની જેમ રહેવુ આ બધુ શિખવાડયુ.નર્મદાનો પ્રશ્ન હોય કે ગોધરા નો પ્રશ્ન હોય આ એક જ એવો માણસ હતો જેણે દંભી માનવઅધિકારોવાળા ને જડબાતોડ જવાબ આપ્યો,આવા ગુજરાતી વીર ચંદ્રકાંત બક્ષીની અમારા કોટી કોટી ના વંદન,આતા તારા જવાથી અમારુ ગુજરાત ભરજવાનીમાં રંડાય ગયું.
દુ:ખ એ વાતનુ છે કે આવો ભડવીર મૃત્ય પામ્યો ત્યારે ગુજરાતની સરકારે આખા ગુજરાતમાં શોક દિવસ પાડ્યો નહી જ્યારે કોઈ નફટ,લાંચીયો,નાલાયક,હરામખોર,દેશદ્રોહી,ધર્મદ્રોહી ને એની માના વર જેવા નેતા કે બાવો મરી જાય ત્યારે શોક પાડે છે ત્યારે થાય છે કે આ ગુજરાત ને સાચા બોલા નહી પણ ચાંપલૂસી કરે તેવા જ ઢોંગી ગમે છે.
ચંદ્ર્કાંત બક્ષી લિખીત "અસ્મિતા ગુજરાતની" માંથી થોડાક વાક્યો :
* અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે.એક અંગૂઠાછાપ અને બીજા કોંવેંટિયા.બંને ગુજરાતી શીખી રહ્યા છે.હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે.(પાના નં.23)
*મને ગુજરાતી બોલતા આવડતું નથી.મને ગુજરાતી વાંચતા આવડતું નથી.મને ગુજરાતી લખતા આવડતું નથી.આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી,પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે,જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે "આઈ કેંટ સ્પીક ગુજરાતી" ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકોનોની જેમ "સ્પેંક" કરવાનું મન થઈ જાય છે.(પાના નં.42)
*મુરારિદાસ એંડ પાર્ટી: સ્થલક્રીડા,જલક્રીડા,પવનક્રીડા.....આજે હિન્દુ ધર્મ અથવા ગુજરાતીઓનો હિન્દુ ધર્મ અતિધનિક પૈસાદારોની સેવા કલબની ફુરસતી પ્રવૃત્તિમાં પલટાઈ રહ્યો છે,અને એક માણસ આ વિકૃતિ માટે પૂર્ણત:ઉત્તરદાયી છે.પાંચ ફીટ છ ઈચ ઊંચા,માત્ર એસ.એસ.સી. સુધી ભણેલા(બે વાર ફેલ) 47 વર્ષીય મુરારિદાસ પ્રભુદાસ ત્રિભુવનદાસ હરિયાણી.(પાના નં.219) નોંધ: હવે એક નહી બે જણ જવાબદાર છે એક મોરારી અને બીજા રમેશ ઓઝા.
*હિંદુસ્તાનમાં ગુજરાતીઓ જેટ્લી સુસ્ત સ્વેક્ન્દ્રી ઉદાસીન હકની બાબતમાં કાયર,અદૂરંદેશી,પરનિર્ભર કોઈ પ્રજા હશે ? (પાના નં. 234)

Sunday, March 19, 2006

કવિ નિરંજન ભગત નુ કાવ્ય "ફરવા આવ્યો છું" ની રચના પૃથ્વી માટે પ્રેમ છે નહી કે તિરસ્કાર કારણ કે આજના આ દંભી કથાકારો અને કામચોર બાવાઓ જે રીતે કહેતા હોય છે કે પરલોકમાં સુખ મેળવવા માટે આ કરવુ જોઈએ તે કરવુ જોઈએ(અમારા ગામમાં આવા બે જણ છે ખોટીના) આ ન કરવુ જોઈએ( એ પોતે એક્ય અમલવારી કરતા ન હોય) તેની વાત નથી પણ પૃથ્વીમાં ઘણુય એવુ છે જેનો મનભરી આનંદ મેળવો જોઈએ બીજો ભવ છે કે નહી તે તો ખબર નથી પણ નહીતર એવુ થાય કે મરવાની છેલ્લી ઘડીએ ખબર પડે કે બીજા ભવ માટે જે આપણે આ દંભીઓના પેટ ભરતા હતા તેવુ તો છે નહી અને છેતરાયા ગયા તેનુ ભાન થાય પણ પછી શું "રાંડ્યા પછી નું ડહાપણ" પણ આનો અર્થ એવો નથી કે આપણે ભ્રષ્ટાચાર કરવો કે નીતી વગરનું જીવન જીવવુ પણ જે આનંદ પ્રાકૃતિક છે તેનો મનભરી આનંદ માણવો.

ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું ?
હું કયાં એકે કામ તમારું કે મારું
કરવા આવ્યો છું ?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
--રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં
સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહીં શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે
ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું !
-નિરંજન ભગત

Sunday, March 12, 2006

constantly - નિરંતર

બે દિવસ પછી હોળી અને ધૂળેટી તો હાલો એકબીજા ને અબીલ ગુલાલ અને કેશુડા ને રંગે રંગીએ અને ફાગણનો આનંદ માણ્યે.

નિરંતર

એક નિરંતર લગન ;
અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં.
કોઈ ચાંગળું લિયે, પવાલું---
કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
કે ઈતરાજી ઝાઝી ,
છાંય હોય કે અગન ; --અમે .
સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં ;
હવે મુઠ્ઠીમાં ગગન ; -----અમે .
-કવિ હસિત બૂચ

Thursday, March 02, 2006

phagun- ફાગણ

ફાગણ માસ નો આંરભ થઈ ચૂક્યો છે અને કેશુડો ફૂલ ફોર્મમાં છે.આ મહિનો જ એવો છે કારણ કે આ ફાગણિયો વાયરો એવો વગડામાં વા'તો હોય છે કે પ્રેમીઓ તો ગાંડા થઈ જાય અને સવારની મજા ક'ઈ ઔર જ છે,એમાં આ મહિનામાં બપોર ની વેળા વાડી એ કે ખેતરમાં વડલા ના કે લીમડા ઝાડ નીચે બાજરાનો રોટલો અને સાથે અડદ ની દાળ કે માટીની હાંડલીમાં કરેલ કઢી, ડુંગળી નો દળીયો અને છાસ બસ આટલુ મળી જાય પછી ઝાડવા નીચે સૂતા સૂતા ગુજરાતી કો'ઈ ગ્રામ્ય નવલકથા તે પછી રાવજી પટેલ કે ચુનીલાલ મડીયાની હોય તે વાંચતા જે હૈયામાં ઓડકાર આવે તેની મજા ક'ઈ ઔર જ છે.
મારી તો નોકરી જ ગામડામાં છે તેથી હું તો ખુબ આનંદ લૂટાવું છું અને પાછો વાંઢો એટલે જાણે દૂધમાં સાકર ભળે એમ આનંદ ની મજા કરુ છું. કવિ રમેશ પારેખ ફાગણ વિશે કહે છે :
તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યા વાદળા
કે શમણે આવેલ મોર બોલ્યાં
ઓંચિંતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતુ ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાં ય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊંછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
-કવિ રમેશ પારેખ