Sunday, February 19, 2006

end of love - પ્રેમનો અંત

"નખ ટેરવાંના શહેરમાં જો
તું મને શોધ્યા કરે તો
હું તને કયાંથી મળું" ?
દિવ્ય ભાસ્કર તારીખ 14-2-2006 ના રોજ કટાર લેખક શ્રી કાંતિ ભટ્ટ ને વેલેંટાઈન-ડે માટે કવિ જવાહર બક્ષી એ પ્રેમ વિશે કહેલ હતી અને તેનો ભાવાર્થ પણ સમજાવવા મે કહ્યું,કવિ કહે છે કે ; આજકાલ પશ્વિમાં પ્રેમ શબ્દ વાપરીને કે પ્રેમમાં પડીને તે જ દિવસે કે તે જ ક્ષણે તેને ભોગવી લેવાની તાલાવેલી હોય છે.'સ્લામ-બ્લામ-થેંકસ-મેડમ' જેવો શબ્દપ્રયોગ થાય છે. અર્થાત બે આંખ મળી,શારીરિક રુપનું આકર્ષણ થયું. પછી કિસાકિસ કરી અને પ્રેમીપાત્રને બેડરુમમાં સીધા લઈ જવાય છે,એ પછી તું કોણ અને હું કોણ એવો જ ભાવ બાકી રહે છે.
એ હિસાબે કવિ જવાહર બક્ષીએ લખ્યું છે કે "જો પ્રેમીઓ નખ ટેરવામાં એટલે કે માત્ર સ્પર્શમાં કે શારીરિક સુખ ભોગવવામાં જ પ્રેમને શોધતા હોય કે ભૌતિક સુખમાં રચ્યાંપચ્યાં રહે તો પછી સાચો પ્રેમ કયાંથી મળે ?
આવું જ ક'ઈક કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય પોતાના કાવ્યમાં કહે છે ;
રેતીના દરિયામાં
મેં દોરી એક સોનેરી માછલી.
કાગળનાં આકાશમાં
મેં દોર્યો એક ચંદ્ર
એક ખડક પર
પંખીને બેસાડયું.
ઈવના પિંજરામાં
પૂરી દીધો આદમને.
માછલી મરી ગઈ
ચંદ્ર ભાંગી ગયો
ખડકમાં તિરાડો પડી
પંખીનાં પીંછાં ખરી ગયાં
અને આમ ને આમ
પ્રેમનો અંત આવ્યો.
-કવિ અર્જુન બ્રહ્મક્ષત્રિય

2 comments:

SV said...

Passion, along with building trust, getting to know the other person, developing mutual respect, and learning to like your partner beyond the original physical attraction are all ingredients in lasting relationships. And unfortunately now only passion reigns.

વિવેક said...

well said, SV.