Tuesday, August 17, 2021

afghanistan taliban conflict - અફઘાનિસ્તાન પરિસ્થિતી


આપણા એક કહેવત છે કે કે "કાગડાની કમાણી ઈંડા ને નડે" જેના બાપદાદાઓ લૂટફાટ ને પોતાનો ધર્મ માની ભારત જે ભૂતકાળ માં અત્યાચાર કરેલ અને લાખો મંદિર તોડી પોતાની ઈસ્લામ વફાદારી પ્રમાણિત કરેલ અને પોતાના પૂર્વજોના સનાતન બૌધ્ધ ધર્મ ને ભૂલે જ્ન્ંત ના સપના જોવા જે ભંયકર અત્યાચાર ભારત ઉપર કરેલ તેના આ ફળ ભોગવે છે. નીચે નું ચિત્ર જોઈ ને તેની બુધ્ધી કેટ્લી છે તે પ્રજા નું માનસ છ્તું થાય છે, જાણે કાબુલ થી ન્યોર્ક ની બસ મા જાવા માંગતા હોય. 

     

એક આગિયાને

તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી,
બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી;
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું,
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું.

વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી;
વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી.


અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું,
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું;
મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં,
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં.


તું જાગજે તું ખેલજે ને પત્ર પત્રે મ્હાલજે,
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે !
તું કેમ એ માની શકે ? આધાર ત્હારો એ જ છે,
એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે !


રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે,
સંતાઈ જાતાં ન્હાસતાં એ કાર્ય વૈરીનું કરે;
દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.


આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી;
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?
અમ એજ જીવિત, એ જ મૃત્યુ એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?

--કવિ કલાપી

 

Sunday, January 16, 2011

ભાણી -- Bhani

ગુજરાતીમાં નાના હતા ત્યારે એક કવિતા આવતી કે કાળી કુતરી ને આવ્યા સાત ગલૂડીયાં,એક કાળીયો,એક ભૂરિયો, એક લાલીયો,એક પીળીયો, આંમ આપણા ગુજરાતમાં પણ કાળીયો પીળીયો લાલીયો અને ભૂરિયા નું રાજ આવી ગયું ,હવે આપણો મુખ્યમંત્રી, પોતે એક પુસ્તક લખે પર્યાવરણ વિશે, અને પોતે જાણે એક પ્રકૃતિ પ્રેમી હોય તેમ પુસ્તક નું વિમોચન કરે, અને પછી ઓલ્યા કાળિયા, પીળીયા, લાલીયા, ભૂરિયા ગુણગાન ગાવા મંડે પછી ગોલા અને ગુલ્ફીવાળા જેવી વાંતુ કરે(ગોલાવાળાની રેંકડી એ જાયે, ત્યારે ગોલાવાળોએ એમ કહે, "એ સામે ની રેંકડીમાં ગુલ્ફી જોરદાર મળે છે", અને ગુલ્ફીવાળા ને ત્યાં જઈએ, ત્યાં ગુલ્ફીવાળો એમ કહેં, "એ સામેની રેંકડીંમાં ગોલો જોરદાર મળે). અમારા ગાંમમા આના પાપે પર્યાવરણ નું નખ્ખોદ વારી દીધું છે, કારણ કે નિરમા કંપની સામે ગમે તેટલી ફરિયાદ કરો, પણ નિરમા નો વાળ પણ વાંકો કરી શકીએ તેવી કોઈ ની તેવડ નથી, આ નિરમા કંપની આખા પોરબંદરમાં સોડા ની ભૂકીનુ પ્રદુષણ ફેલાવે છે, દરિયા ની અંદર પણ પાણી બગાડે છે, હવે બાકી રહ્યું હોય તેમ ધીરુભાઈ નો બાબો અને કોકીલા બેનનો પાટવીકુંવર સિમેંટ નુ કારખાનું નાખવાનો છે, એટલે વધારે પ્રદુષણ ફેલાશે અને કોઈ વિરોધ કરશે તો સામા લુગડા લેતા ફરશે કે "અમે તો વિકાસ કરવા માંગીએ છે" પણ કોનો વિકાશ ? આમાંય નબળા ધણીની બાયડી આખા ગામની ભાભી હોય છે.

ભાણી

દીવાળીનાં દિન આવતાં જાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

માથે હતું કાળી રાતનું ધાબું,
માગી-ત્રાગી કર્યો એકઠો સાબુ ;
'કોડી વિનાની હું કેટલે આંબુ ?'

રુદિયામાં એમ રડતી છાની,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

લૂગડાંમાં એક સાડલો જુનો,
ઘાઘરો યે મેલો દાટ કે'દુનો :
કમખાએ કર્યો કેવડો ગુનો ?

તીને ત્રોફાએલ ચીંથરાને કેમ ઝીકવું તાણી ?
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઓઢણું પે'રે ને ઘાઘરો ધૂવે,
ઘાઘરો ઓઢે ને ઓઢણું ધૂવે ;
બીતી બીતી ચારે દિશામાં જુવે,

એને ઉઘાડાં અંગઅંગમાંથી આતમા ચૂવે ;
લાખ ટકાની આબરુને એણે સોડમાં તાણી ,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

ઊભા ઊભા કરે ઝાડવાં વાતું ,
ચીભડાં વેચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું ?

વસ્તર વિનાની ઈસ્તરી જાતની આબરુ સારુ
પડી જતી નથી કેમ મો'લાતુ ?

શિયાળવાંની વછૂટતી વાણી,
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ કરી થાવું ઝુંપડી ભેળું ?
વાયુની પાંખ ઉડાડતી વેળું :

જેમ તેમ પે'રી લુગડાં નાઠી
ઠેસ, ઠેબા-ગડથોલિયાં ખાતી :
ધ્રુજતી ધ્રુજતી
કાયા સંતાડતી
કૂ બે પહોંચતાં તો પટકાણી
રાંકની રાણી :
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.
---ઈન્દુલાલ ગાંધી.




Sunday, January 02, 2011

અધરાતનું ગીત- midnight song

છેલ્લા એકાદ વર્ષથી ક'ઈ લખવાની ઈચ્છા થતી નહીં કારણ કે જીવનમાં અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે આપણે ગામ ને સલાહ આપતા હોય છે ત્યારે ઘરપધોરું આવે ત્યારે માનવામાં આવે કે કેટલી વીસે સો થાય્ .
હમણા વાચ્યં કે યુ.પી નો સચિવ સેમીનાર માટે સવારના હેલીકોપ્ટરથી ઘરેથી સીમલા જાય અને સાંજે પાછો લખનઉ આવે, આ બધા કોના બાપની દીવાળી એંમા માનવાવાળા હોય છે. આપણો નરેન્દ્ર મોદી પણ ક'ઈ દૂધે ધોયેલો નથી,આણે ઉત્સવો કરી કરી ને ગુજરાત ની પથારી ફેરવી નાખી છે. ક્યાંક આ બિહાર કરીને ન જાય, આં પાછો પોતાની જાત ને હિંદુઓ નો નેતા માને છે પણ તમે પોલીસ સ્ટેશનમાં જઈ આર્.ટી.આઈ. હેઠળ માહિતી માંગો કે છેલ્લા 5 વર્ષમાં, મુસલમાન દ્રારા કેટલા હુમલા થયા હિંદુઓ ઉપર તો તમને જાણવાં મળશે કે આના રાજમાં મુસલમાનો કેવા ફાટી ને ધુવાડવાં જેવા થયાં છે.
આર્.ડી.એક્સ નો આરોપી અને મુંબઈ બોમ્બ ધડાકા નો આરોપી એવો હિંદુ દ્રોહી પોરબંદર નો સતાર મૌલાના ના દિકરા ને આ ભાનુ જમન પરષોતમ (ભાજપ) લઘુમતી નો ચેરમેન બનાવા હરખપદુડા થઈ ગયા છે, ઈદ નો તહેવાર હોય એટલે ભાજપ અને કોંગ્રેસ બેઉના નેતાઓ,મત માટે,આની ગાં... ચાટવા માથે ટોપી પેંરી એની સામે હાજર થઈ જાય,આ બધા ભડવાઓ ને (ભડવા શબ્દ નો ગુજરાતી અર્થ એ થાય છે કે જે વ્યક્તિ પોતાની પત્ની ની અનૈતિક જીવનની કમાણી ઉપર નિર્વાહ કરે તેને ભડવો કહેવાય) કોઈ લાજ કે સ્વમાન જેવુ છે જ નહીં. મારે તો સમય નથી મળતો નહીં તો આ બધાય ની મા નો ઈતિહાસ જાણું કે આ બધાય નો બાપ તો એક જ નથી ને.

અધરાતનું ગીત

સાંજ્-સવારમાં સીંદરા તાણી,
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.

મારગ લાંબો ને બળદો નાના,
પાણી વિના ખાલી આંચળ માના,
ટીપાં પાડી પાડી પરસેવાનાં,

ઉજ્જડ ભૂમિ કાજે વગડાની ;
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.

માંદા બળદને માખીયું વાલી,
કાગડાઓ વડવાઈયું ઝાલી :
ભીંગડાં ઠોલતાં ગાય કવાલી ,

ડોક દુખે તોય રાંઢવાં તાણી
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.

કીચૂડ કીચૂડ કોશનું ગાણું,
અધરાતે એને વાય છે વાણું :
કાયા એની ધુંધવાયલું છાણુ ;

ફૂંકી ફૂંકી એમાં શેકવી ધાણી ;
ઊંડા કૂવાનાં ઉલેચવાં પાણી.
--ઈન્દુલાલ ગાંધી.


Monday, September 22, 2008

Asharam is devil face of monk - રાક્ષસી સાધુ આશારામ

છેલ્લા એક મહીનાથી,લંપટ્,નાલાયક કે જે કહો તે ઓછું પડે એવો આશારામ એંડ કંપની નું આપણે નમાલા ગુજરાતી કઈ કરી શક્યાં નથી અને પોતાની જાતને 5 કરોડ ગુજરાતી નો નાથ કહેવાવાળો,આપણો નમાલો મુખ્યમંત્રી નરેન્દ મોદી પણ આવા ભડવા બાવાને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહ્યો છે.ગુજરાતી પ્રજા પણ આના માટે જવાબદાર છે. કારણ કે કોઈ પણ લુખીનો બાવો હોય તેનો ધંધો ગુજરાતમા ધમધોકાર ચાલે. આપણું દુર્ભાગ્ય એ છે કે જે કોઈ કથા કરતા હોય તેને આપણે સંત કરી દઈ એ છીએ. સંત એને કહેવાય કે જે બીજાનું દુ:ખ જોઈ પોતાનું સુખ જતુ કરે અને સમાજની નિસ્વાર્થ સેવા કરે.સાદગીથી જીવન વિતાવે. હવે આ આશારામ્ રમેશ ઓઝા(અમારા પોરબંદરમાં એક નવી કહેવત નીકળી છે ,રમેશ ઓઝા.ગામને પહેરાવે મોઝા.આ રમેશ ઓઝા એ પણ જમીનમાં ગેરકાયેદર પેશકદમી કરી છે અને આની સામે નીડર એવો ભગુ દેવાણી એ હાઈકોર્ટમાં કેશ પણ માંડેલ છે) જેવા નીકળી પડેલા લેભાગુઓને આપણે જ ઊંચી ચડાવ્યે છીએ.

હદ તો ત્યારે થાઈ છે કે આ. બાપ્-દીકરો અને એની દીકરી ત્રણે જણ ભેગા થઈ પોતાની પાપ લીલા કરતા હતાં.હિંદુ ધર્મની પતર આણી નાખી હોય તો લંફગાૢદાધારા, પંથવાળાઓ એ,દરેક નવો બાવો પોતાનો પંથ નાખી હિંદુ ધર્મને ધંધાદારી દુકાન જેવો કરી નાખ્યો છે, બે દિવસ પહલાં જ હું મારી નોકરીના સ્થળે થી પરત આવતો હતો ત્યારે એક ટ્રેકટર ઉપર લગભગ 40 થી વધુ સ્ત્રી,પુરુષો જે રાજેસ્થાનના હતાં,તે બધા છેટ રાજેસ્થાનથી દ્રારકા,પોરબંદર થઈ ને સોમનાથ જતાં હતાં, આ બધાની ગરીબ હતાં પણ તેમની જે શ્રધ્ધા હતી તે જોઈને આપણે અચંબો થાઈ કે આ લોકો આવા ભાદરવા મહીનાના તાપમાં પણ અગવડો વેઠી યાત્રા કરે છે,અને ભગવાનની કૃપા પણ આવા યાત્રીકોને મળે છે. નહીં કે પૈસાદારોની સુવાળી ગાડીમાં બેસી પોતાની જાતને ધ્.ધુ.108 કહેવાવાળા, જેની ગાં...પણ સુવાળી હોય.

હિન્દું ધર્મ ટક્યો હોય તો આવા ગરીબ અને સ્વમાની લોકોથી ટક્યો છે અને ટકશે પણ આ લોકોથી નહીં કે આશારામ્,મોરારી કે રમેશ ઓઝાથી.

આશારામ જેવા પાપીઆઓ ને તો ચીરી એના શરીરમાં મીંઠુ ભરાવી રીબાવી રીબાવી ને મારી નાખવા જોઈએ અને મહા કાલી માતાજી ને ભોગ ધરી દેવો જોઈએ,જેથી બીજીવાર જ્ન્મ જ ન લે,આ પૃથ્વી ઊપર.


આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.

નળના કાટ ખાધેલા પાઈપમાં

અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.

નપાવટ માનવજાત સામેના વિરોધમાં

પાણી હડતાળ પર ગયું છે.

કોઈ ધોતું નથી.

આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?

સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને

આકાશને તાકતા બેસી પડ્યા છે.

કોઈના ભયથી જેમ દૂઝણી ગાય

દૂધ ચોરી જાય એમ આકાશ

આજે પાણી ચોરી ગયું છે.

આ મેલખાઉ હાથ દુવા માગવા

કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?

શું વરસાદ આપણા કરોડો ગુનાઓને

માફ કરવાના મૂડમાં નથી ?

મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

--કવિ અનિલ જોષી.


Saturday, January 19, 2008

what we can do - શું કરી શકીએ આપણે

ગુજરતની ચૂંટણીઓ નું પરિણામ જોઈ ગુજરાત વિરોધી ટોળકી સામ્યવાદી, દંભી માનવાધિકારવાળા અને હિન્દુ દ્રોહી કોંગ્રેસીઓના છાતીના પાટીયા બેસી ગયા કારણ કે તેમને એમ હતુ કે સમાચાર માધ્યમોનો ટેકો લઈ ગુજરાત ની પ્રજામાં વિખવાદ જગાવીને સતા પચાવી પાડ્યે ને ગોધરાકાંડ કરવાવાળા મુસલમાન ને બચાવી લઈએ અને પછી ખોટા કેસ કરી જે જે હિન્દુ હાથમાં આવે તેને જેલમાં મોકલી હિન્દુવાદ ને નષ્ટ કરી દઈ એ પણ હિન્દુ પ્રજા હવે ઓળખી ગઈ છે અને તેમાંય ગુજરાતી હિન્દુઓ તો આ હરામખોરો ને જ્યારે ગોધરાકાંડ થયો ત્યારથી ઓળખી ગઈ અને કેશુબાપા મરવાને વાંકે જીવે છે ત્યારે પ્રભુ ભક્તિ કરવી જોઈ એને બદલે જ્ઞાતિવાદ ફેલાવા ગયા એને પણ પ્રજાએ ઉતર આપી દીધો કે "બાપા હવે ઘેર બેસો અને ફાફળા ગાંઠિયા ખાવ ને ભજન કરો".
અને રહી વાત તો કોંગ્રેસીઓની તો, આ લોકો સોનીયાનો પાલવ છોડતા નથી, વિચાર ઈ આવે છે કે આ કોંગ્રેસવાળા દેશ ને વફાદાર છે કે સોનિયાના ? આ કોંગ્રેસવાળા એ ગેર કાયદેસર બાંગલાદેશીઓને આસામ વસાવી ને મુળ આસામી હિન્દુઓને લઘુમતિમાં મુકી દીધા છે અને આજે આસામ માં સાત જેટલા બંગ્લાદેશી ધારાસભામાં ચૂંટાઈ આવ્યા છે. મત માટે કે સતા માટે જે પોતાના દેશ અને ધર્મ ને વેંચી મારે એને માટે ક્યો શબ્દ વાપરવો ? અને જો આપણે ગુજરાતી પણ આસામમાંથી ક'ઈ બોધપાઠ નહીં લઈ એ તો આપણી પરિસ્થતિ પણ આસામ જેવી જ થાશે.
અહીં આ કાવ્ય "ડાઘુ" જે હર્ષદ માધવ નું લખેલ છે, તે કોંગ્રેસ,સામ્યવાદી અને દેભી માનવાધિકારવાળાને અર્પણ કરું છું.

ડાઘુ

* એ લોકો કોઈને બાળવા નીકળેલા પણ
પાછા ફર્યો ત્યારે
તેઓ બળતા હતા.
થોડોક ધૂમાડો જ બચ્યો હતો.
એમની પાસે !
* સૂરજની ધગધગતી દોણી લઈને
પહાડ નીકળ્યો છે.
અ.સૌ. સાંજના શબને
અગ્નિદાહ દેવા
આકાશના કિનારે........
* એક ડાઘુએ બીજાને પૂછ્યું,
'તને મરણનો ડર લાગે છે ?'
બીજાએ માથું ધુણાવ્યું એટલીવારમાં
બંને વચ્ચેથી પસાર થઈ ગયો
4000 વોલ્ટનો એક ધ્રાસકો.
* સ્મશાન પાસે
આવેલી કીટલી પર
બેઠેલા ડાધુઓએ
ચાનો એક ઘૂંટ માર્યો ત્યાં તો--
શરુ થઈ ગયું જીવન
ખીજડાના ઝાડ પર !
* ડૂસકાંઓનું એક ટોળું લઈને
ગયેલા ડાઘુઓ
જ્યારે પાછા ફર્યા ત્યારે--
એમની સાથે હતી
સ્મશાનની શાંતિ.
--કવિ હર્ષદેવ માધવ.
આનો અર્થ એ નથી કે ભાજપવાળા દુધે ધોયેલ છે, નરેન્દ્ર મોદી જો સાચો હિન્દુઓનો રખેવાળ હોય તો એણે ગોધરાકાંડ કરવાળા નું એનકાઉંટર કરાવી નાખવું જોઈએ અને તે ન થઈ શકે તો ઓછાંમાં ઓછું મુંબઈ બોમ્બં ધડાકાના આરોપીઓ જેવા કે મમુમિયા, ઈજ્જુશેખ,સતાર મૌલાના, આવાને તો એનકાઉન્ટંર કરાવી દેવુ જોઈ એ, હિન્દુ ગુંડાઓના તો એનકાઉંટર કરાવી નાખે છે પણ મુસલમાન ગુંડાઓ જે અમદાવાદ થી લઈ ને સલાયા સુધી છે તેમના કેમ એનકાઉંટર નથી કરાવતા, 5 વર્ષ પહેલા રાજકોટમાં ભાજપવાળા ચૂંટણી પતી ગયા પછી વિજ્ય સરઘસ લઈ ને જતા હતા ત્યારે જંગલેશ્વરના મુસલમાન ગુંડાઓ એ ભાજપ ના જ કાર્યકર ને મારી નાખવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ થઈ અને આ બાયલા ભાજપવાળા કોર્ટમાં ફરી ગયાં કે અમેં ક'ઈ જોયુ નથી, હવે આ ભાજપવાળા ને કેમ હિન્દુવાદી કે'વા ? જે પોતાના કાર્યકર ના હત્યારાને સજા પણ ન અપાવી શક્યા. નરેન્દ્ર મોદી જે રીતે સભાઓના ખર્ચા કરે છે તે જોઈ ને થાય છે "આ ઓટીવાર" ક્યાંક ગુજરાત ને વે'ચી ન મ'રે તો સારું પણ આપણી પાસે કોઈ વિક્લ્પ પણ નથી બીજા જે પક્ષ છે તે તો હિન્દુ વિરોધી છે એટલે કમને સ્વીકાર કરવો જ પડે કે "ન મામા કરતા તો કાંણો મામો સારો".
અહી આ કાવ્ય "મોતીચંદને" જે કવિ નવનીત ઉપાધ્યાય નું છે તે ભાંડ વગરની ભવાઈના સૂત્રધાર નરેન્દ્ર મોદીની અર્પણ કરુ છું.

મોતીચંદને

મોતીચંદને કાંઈ ન જોવા દેવું
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું
ભીંત્યુને લ્યો ગાર્ય કરો ને ઘરને ઝાલી રાખો,
વાંકાચૂંકા વાંસડાનાં....નેવા....બાંધી ....રાખો,
મોતીચંદને લીમડાની છાંયડીનું મોંઘું મૂલ ગણી ના દેવું
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું
શેરીમાં સોપો પાડી દો મોતીચંદ ઊંઘે છે,
કૂતર્યાને છોકરા તગડો મોતીચંદ ઊંઘે છે ;
મોતીચંદને પરોઢનાં ચાંદરણંનું સોનું દબ્બાવી દેવું.
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું.
--કવિ નવનીત ઉપાધ્યાય.


Tuesday, September 04, 2007

janmashatami - જનમાષ્ટમી


આજે જન્માષ્ટમી છે અને રાત્રિના 12.22 થયા છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે.આ નિમિતે સુરેશ દલાલ નુ કાવ્ય અહીં પ્રસ્તુત કરુ છું.
શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહી ઘૂંઘટપટ રે ઢળ્યા
એને તમે કહો ખોલશો ક્યારે ?
રાહુ ચંદ્ર્ને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે
શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ :
અમને કાંઈ સમજ નહીં.
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો.
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?
-તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?
શ્યામ તમે પણ સાંચુ કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીયે થા'ય ખરુ કે નહીં ?
અમે તમારી આગળપાછળ
આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીનાં આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીયે થાય ખરુ કે નહીં ?
શ્યામ તમારી સાથે મારે
ક્યા જનમની સગાઈ થઈ છે
ને ક્યા જનમમાં સગપણ ફળશે
રે, ક્યાં લગી આ જીવ ટ્ળવળશે
--મને કૈં કહેશો ક્યારે ?
--કવિ સુરેશ દલાલ

જનમાષ્ટમી ની શુભેચ્છા સર્વને
જ્ય કનૈયાલાલ કી,શ્રીકૃષ્ણ શરણં મંમ:

Friday, August 31, 2007

self perception - સ્વ બોધ

31/8/2007 શ્રાવણ વદ 3/4 શુક્રવાર.

આ વર્ષે ખુબ જ વરસાદ પડયો છે અને આજે પણ વરસાદ ચાલું જ છે ચારે બાજુ વેંકરા ભરપૂર ચાલ્યા જાય છે અને જે પાણીની અછત હતી તે દૂર થઈ ગઈ એમ લાગે છે પણ જેવો શિયાળો આવશે ત્યાં જ પાછી પાણી ની મોંકાણ, જો આજે જે પાણી નકાંમુ વહી જાય છે તે જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો કોઈ દીવસ પાણી ની સમસ્યા ન રહે પણ કરે કોણ ? સરકાર જે નાના ચેક ડેમ બાંધે છે તે તો ફકત કાગળ ઉપર હોય છે અને જે બંધાય છે તેમાંથી 99% એટલા હલકી જાતના બનાવે છે કે તે પહેંલા વરસાદમાં જ તૂટી જાય છે, અને ગામનાં લોકો ને કોઈ રસ હોતો નથી કારણ કે જો બોલે તો જે બનાવવાળા રાજકિય પક્ષના કુતરાઓ તેને પીંખી નાખે એટલે ઉછીની સુરી કોણ લે ? એટલે સહન કરતુ જાવાનું કારણ કે આપણ ને દેશમાં સારા 542 સંસદ સભ્યો કે 182 ધારાસભ્યો(ગુજરાત) કે 42 નગરપાલિકા(પોરબંદર) સભ્યો પણ મળતાં નથી એક મહેન્દ્ર મશરુ ધારાસભ્ય તરીકે સારો હતો પણ એ પણ હમણાં એની જમાતમાં ભળી ગયો( ગેરકાયેદસર દારુ વેચવાળા ને સાથ આપી). આપણા દુર્ભાગ્ય કે નથી આપણ ને સ્તાલીન,માઓ,હિટલર કે ચર્ચિલ જેવા નેતા મળે કે જેથી આ કજાત નેતાઓ ને શુળી ઉપર ચડાવે.

સ્વબોધ.

આપણે આપણી રીતે રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેવું ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રુપ ભૂલવું.
મૂંગા થઈને સહેવું અને કહેંવું હોય તો પંખીની જેમ કહેવું !
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
પગલાં ભૂસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું.
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.
લેવુંદેવું કાંઈ કશું નહીં : કેવળ હોવું : એ જ તો રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
- કવિ સુરેશ દલાલ