Sunday, February 12, 2006

to stop fatigue-થોભ્યાનો થાક

છેલ્લા પંદર દીવસથી પોરબંદર ની અંદર રમેશ ઓઝા નામના કથાકાર નો જે તમાશો ચાલે છે તે જોઈને હવે તો એમ થાય છે કે ભગવાન ને પણ શું આવા જ લોકો ગમે છે ? આજે હિંદુ ધર્મ પૈસાદાર લોકોનો ધર્મ થય ગયો છે અને જ્યારથી આવા કથાકારો પછી રમેશ ઓઝા હોય કે મોરારી નામના કોઈ વ્યકિત હોય આ બધા ની કથની ક'ઈ હોય અને કરણી પણ બીજી હોય.
હમણા જે કથા ચાલે છે ત્યાં જે મંદિર બનાવેલુ છે તેની કિંમત 5 કરોડની છે અને તે મંદિર થી અંદાજીત 3 કિલોમીટર દુર સીમેંટ ફેકટરી બંધ છે,આ ફેકટરી બંધ થય જવાથી કેટલાય ગરીબ માણસોની રોજી છીનવાય ગયેલ છે,મંદીર બાંધવાને બદલે આ ફેકટરી પાછળ પૈસા નાખ્યા હોત તો કેટલાય ગરીબ માણસોના ભાગ્ય બદલાય જાત પણ આ કરે કોન ? આવો વિચાર પણ આ કથાકાર ને આવ્યો નહીં હોય કારણ કે આ બધા કથાકારો તો પૈસાદારોના ફેમીલી ડોકટર જેવા છે.
જ્યારે સાંદીપની સંસ્થામા આગ લાગી ત્યારે આ આપણા રમેશ ઓઝા એમ બોલ્યા હતા કે : આવી દુર્ઘટના બને ત્યારે સંત હોય કે સાધારણ માણસ હોય બધા ભયભીત બની જાય.હુ પણ ગભરાઈ ગયો હતો પણ મે હનુમાનજી મહારાજ્ને પ્રાર્થના કરી અને તેમણે સાંભળી હોય એમ એમ આગ તરત જ કાબૂમાં આવી ગઈ....આમ જણાવતી વેળા તેમની આંખમાંથી આંસુ ટપકી પડયા હતા(દિવ્ય ભાસકર તા.4-2-2006 સૌરાષ્ટ્ર આવૃતી)
બોલો, આ કથાકાર કેવા દંભી છે,તેમના કહેવાથી જો હનુમાનજી આગ કાબૂમાં લઈ શકતા હોય તો એક એવી પણ હનુમાનજી ને પ્રાર્થના કરો કે આ ગરીબ માણસોને જેને એક ટ'ક ખાવા પણ નથી મળતુ તેને મળતુ થય જાય.
ગુજરાત સમાચાઅર તારીખ 8-2-2006 ના 13 માં પાને એક ફોટો છે જેમાં ઉતર પ્રદેશ ના કુશીગઢ ના લોકો જમવાનુ નથી મળતુ એટલે ઉંદર શેકી ને ખાય છે.
અને આ કથામાં જે રીતે તે પૈસાનુ પ્રદર્શન કરે છે તે જોઈ ને એમ થાય છે કે આવા લોકોને ફાંસી એ લટકાવી દેવા જોઈ એ, સાધારણ માણસ ને બેસવાનુ અલગ પૈસાદારો માટે વીઆઈપી જગ્યા,જે જમણ કરે છે તેમાં પણ સાધારણ વ્યકિત માટે અલગ પૈસાદારો માટે અલગ.
ખરેખર આણે હિંદુ ધર્મને મઝાક જેવો બનાવી દીધો છે અને આવુ જોઈ ને થાય છે કે આવા લોકોની કથા માં જાવા કરતા તો મુંબઈ ના કોઠા માં જે નાચવાળી છે તેની પાસે જાવુ સારુ કારણ કે આ નાચવાળી ને પણ ક'ઈ સિધ્ધાંત તો છે આને તો એક પણ સિધ્ધાંત નથી.
લોકોને પણ આવા નાટકીયા દંભી અને રંડુળીયા જેવા ગમે છે જાવા દયો આપણા લોકો આને જ લાયક છે.
થોભ્યાનો થાક
ભટકી ભટકીને મારા થાક્યાં છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલુ :
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું
વેદનાનું નામ કયાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચૈનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક ;
આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક .
આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સિમ્તને સંભાળું ?
-કવિ સુરેશ દલાલ

No comments: