Sunday, March 19, 2006

કવિ નિરંજન ભગત નુ કાવ્ય "ફરવા આવ્યો છું" ની રચના પૃથ્વી માટે પ્રેમ છે નહી કે તિરસ્કાર કારણ કે આજના આ દંભી કથાકારો અને કામચોર બાવાઓ જે રીતે કહેતા હોય છે કે પરલોકમાં સુખ મેળવવા માટે આ કરવુ જોઈએ તે કરવુ જોઈએ(અમારા ગામમાં આવા બે જણ છે ખોટીના) આ ન કરવુ જોઈએ( એ પોતે એક્ય અમલવારી કરતા ન હોય) તેની વાત નથી પણ પૃથ્વીમાં ઘણુય એવુ છે જેનો મનભરી આનંદ મેળવો જોઈએ બીજો ભવ છે કે નહી તે તો ખબર નથી પણ નહીતર એવુ થાય કે મરવાની છેલ્લી ઘડીએ ખબર પડે કે બીજા ભવ માટે જે આપણે આ દંભીઓના પેટ ભરતા હતા તેવુ તો છે નહી અને છેતરાયા ગયા તેનુ ભાન થાય પણ પછી શું "રાંડ્યા પછી નું ડહાપણ" પણ આનો અર્થ એવો નથી કે આપણે ભ્રષ્ટાચાર કરવો કે નીતી વગરનું જીવન જીવવુ પણ જે આનંદ પ્રાકૃતિક છે તેનો મનભરી આનંદ માણવો.

ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છું ?
હું કયાં એકે કામ તમારું કે મારું
કરવા આવ્યો છું ?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
--રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં
સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહીં શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે
ધરવા આવ્યો છું !
હું તો બસ ફરવા આવ્યો છું !
-નિરંજન ભગત

1 comment:

વિવેક said...

સુંદર ગીત.