Tuesday, March 28, 2006

the Great Gujarati Author-મહાન ગુજરાતી વીર નુ પ્રસ્થાન


ગુજરાત નરકેસરી ચંદ્ર્કાંત બક્ષી


તારીખ 25-3-2006 શનિવાર ના રોજ ગુજરાત પાસેથી કુદરતે એક અમુલ્ય રતન છીનવી લીધુ,ચંદ્ર્કાંત બક્ષી એ ગુજરાતી પ્રજાનો આત્મા હતા જેણે અમારી જેવા અનેક ને વિશ્વના દરેક વિષય વિશે માહિતી આપી પછી તે બાકુની કે નિત્સેની અરાજકવાદી ફિલોસોફી હોય કે લેટીન સાહિત્ય હોય,આ બધુ અમોને આપ્યુ અને જીવનમાં કેમ ખુમારીથી ને મર્દની જેમ રહેવુ આ બધુ શિખવાડયુ.નર્મદાનો પ્રશ્ન હોય કે ગોધરા નો પ્રશ્ન હોય આ એક જ એવો માણસ હતો જેણે દંભી માનવઅધિકારોવાળા ને જડબાતોડ જવાબ આપ્યો,આવા ગુજરાતી વીર ચંદ્રકાંત બક્ષીની અમારા કોટી કોટી ના વંદન,આતા તારા જવાથી અમારુ ગુજરાત ભરજવાનીમાં રંડાય ગયું.
દુ:ખ એ વાતનુ છે કે આવો ભડવીર મૃત્ય પામ્યો ત્યારે ગુજરાતની સરકારે આખા ગુજરાતમાં શોક દિવસ પાડ્યો નહી જ્યારે કોઈ નફટ,લાંચીયો,નાલાયક,હરામખોર,દેશદ્રોહી,ધર્મદ્રોહી ને એની માના વર જેવા નેતા કે બાવો મરી જાય ત્યારે શોક પાડે છે ત્યારે થાય છે કે આ ગુજરાત ને સાચા બોલા નહી પણ ચાંપલૂસી કરે તેવા જ ઢોંગી ગમે છે.
ચંદ્ર્કાંત બક્ષી લિખીત "અસ્મિતા ગુજરાતની" માંથી થોડાક વાક્યો :
* અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે.એક અંગૂઠાછાપ અને બીજા કોંવેંટિયા.બંને ગુજરાતી શીખી રહ્યા છે.હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે.(પાના નં.23)
*મને ગુજરાતી બોલતા આવડતું નથી.મને ગુજરાતી વાંચતા આવડતું નથી.મને ગુજરાતી લખતા આવડતું નથી.આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી,પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે,જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે "આઈ કેંટ સ્પીક ગુજરાતી" ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકોનોની જેમ "સ્પેંક" કરવાનું મન થઈ જાય છે.(પાના નં.42)
*મુરારિદાસ એંડ પાર્ટી: સ્થલક્રીડા,જલક્રીડા,પવનક્રીડા.....આજે હિન્દુ ધર્મ અથવા ગુજરાતીઓનો હિન્દુ ધર્મ અતિધનિક પૈસાદારોની સેવા કલબની ફુરસતી પ્રવૃત્તિમાં પલટાઈ રહ્યો છે,અને એક માણસ આ વિકૃતિ માટે પૂર્ણત:ઉત્તરદાયી છે.પાંચ ફીટ છ ઈચ ઊંચા,માત્ર એસ.એસ.સી. સુધી ભણેલા(બે વાર ફેલ) 47 વર્ષીય મુરારિદાસ પ્રભુદાસ ત્રિભુવનદાસ હરિયાણી.(પાના નં.219) નોંધ: હવે એક નહી બે જણ જવાબદાર છે એક મોરારી અને બીજા રમેશ ઓઝા.
*હિંદુસ્તાનમાં ગુજરાતીઓ જેટ્લી સુસ્ત સ્વેક્ન્દ્રી ઉદાસીન હકની બાબતમાં કાયર,અદૂરંદેશી,પરનિર્ભર કોઈ પ્રજા હશે ? (પાના નં. 234)

No comments: