Gujarati Blog - મને મારી ભાષા ગમે છે કારણ કે

"ભાષા જાશે તો સંસ્ક્રૃતિ પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"

Monday, September 22, 2008

Asharam is devil face of monk - રાક્ષસી સાધુ આશારામ

છેલ્લા એક મહીનાથી,લંપટ્,નાલાયક કે જે કહો તે ઓછું પડે એવો આશારામ એંડ કંપની નું આપણે નમાલા ગુજરાતી કઈ કરી શક્યાં નથી અને પોતાની જાતને 5 કરોડ ગુજરાતી નો નાથ કહેવાવાળો,આપણો નમાલો મુખ્યમંત્રી નરેન્દ મોદી પણ આવા ભડવા બાવાને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહ્યો છે.ગુજરાતી પ્રજા પણ આના માટે જવાબદાર છે. કારણ કે કોઈ પણ લુખીનો બાવો હોય તેનો ધંધો ગુજરાતમા ધમધોકાર ચાલે. આપણું દુર્ભાગ્ય એ છે કે જે કોઈ કથા કરતા હોય તેને આપણે સંત કરી દઈ એ છીએ. સંત એને કહેવાય કે જે બીજાનું દુ:ખ જોઈ પોતાનું સુખ જતુ કરે અને સમાજની નિસ્વાર્થ સેવા કરે.સાદગીથી જીવન વિતાવે. હવે આ આશારામ્ રમેશ ઓઝા(અમારા પોરબંદરમાં એક નવી કહેવત નીકળી છે ,રમેશ ઓઝા.ગામને પહેરાવે મોઝા.આ રમેશ ઓઝા એ પણ જમીનમાં ગેરકાયેદર પેશકદમી કરી છે અને આની સામે નીડર એવો ભગુ દેવાણી એ હાઈકોર્ટમાં કેશ પણ માંડેલ છે) જેવા નીકળી પડેલા લેભાગુઓને આપણે જ ઊંચી ચડાવ્યે છીએ.

હદ તો ત્યારે થાઈ છે કે આ. બાપ્-દીકરો અને એની દીકરી ત્રણે જણ ભેગા થઈ પોતાની પાપ લીલા કરતા હતાં.હિંદુ ધર્મની પતર આણી નાખી હોય તો લંફગાૢદાધારા, પંથવાળાઓ એ,દરેક નવો બાવો પોતાનો પંથ નાખી હિંદુ ધર્મને ધંધાદારી દુકાન જેવો કરી નાખ્યો છે, બે દિવસ પહલાં જ હું મારી નોકરીના સ્થળે થી પરત આવતો હતો ત્યારે એક ટ્રેકટર ઉપર લગભગ 40 થી વધુ સ્ત્રી,પુરુષો જે રાજેસ્થાનના હતાં,તે બધા છેટ રાજેસ્થાનથી દ્રારકા,પોરબંદર થઈ ને સોમનાથ જતાં હતાં, આ બધાની ગરીબ હતાં પણ તેમની જે શ્રધ્ધા હતી તે જોઈને આપણે અચંબો થાઈ કે આ લોકો આવા ભાદરવા મહીનાના તાપમાં પણ અગવડો વેઠી યાત્રા કરે છે,અને ભગવાનની કૃપા પણ આવા યાત્રીકોને મળે છે. નહીં કે પૈસાદારોની સુવાળી ગાડીમાં બેસી પોતાની જાતને ધ્.ધુ.108 કહેવાવાળા, જેની ગાં...પણ સુવાળી હોય.

હિન્દું ધર્મ ટક્યો હોય તો આવા ગરીબ અને સ્વમાની લોકોથી ટક્યો છે અને ટકશે પણ આ લોકોથી નહીં કે આશારામ્,મોરારી કે રમેશ ઓઝાથી.

આશારામ જેવા પાપીઆઓ ને તો ચીરી એના શરીરમાં મીંઠુ ભરાવી રીબાવી રીબાવી ને મારી નાખવા જોઈએ અને મહા કાલી માતાજી ને ભોગ ધરી દેવો જોઈએ,જેથી બીજીવાર જ્ન્મ જ ન લે,આ પૃથ્વી ઊપર.


આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.

નળના કાટ ખાધેલા પાઈપમાં

અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.

નપાવટ માનવજાત સામેના વિરોધમાં

પાણી હડતાળ પર ગયું છે.

કોઈ ધોતું નથી.

આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?

સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને

આકાશને તાકતા બેસી પડ્યા છે.

કોઈના ભયથી જેમ દૂઝણી ગાય

દૂધ ચોરી જાય એમ આકાશ

આજે પાણી ચોરી ગયું છે.

આ મેલખાઉ હાથ દુવા માગવા

કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?

શું વરસાદ આપણા કરોડો ગુનાઓને

માફ કરવાના મૂડમાં નથી ?

મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

--કવિ અનિલ જોષી.


Saturday, January 19, 2008

what we can do - શું કરી શકીએ આપણે

ગુજરતની ચૂંટણીઓ નું પરિણામ જોઈ ગુજરાત વિરોધી ટોળકી સામ્યવાદી, દંભી માનવાધિકારવાળા અને હિન્દુ દ્રોહી કોંગ્રેસીઓના છાતીના પાટીયા બેસી ગયા કારણ કે તેમને એમ હતુ કે સમાચાર માધ્યમોનો ટેકો લઈ ગુજરાત ની પ્રજામાં વિખવાદ જગાવીને સતા પચાવી પાડ્યે ને ગોધરાકાંડ કરવાવાળા મુસલમાન ને બચાવી લઈએ અને પછી ખોટા કેસ કરી જે જે હિન્દુ હાથમાં આવે તેને જેલમાં મોકલી હિન્દુવાદ ને નષ્ટ કરી દઈ એ પણ હિન્દુ પ્રજા હવે ઓળખી ગઈ છે અને તેમાંય ગુજરાતી હિન્દુઓ તો આ હરામખોરો ને જ્યારે ગોધરાકાંડ થયો ત્યારથી ઓળખી ગઈ અને કેશુબાપા મરવાને વાંકે જીવે છે ત્યારે પ્રભુ ભક્તિ કરવી જોઈ એને બદલે જ્ઞાતિવાદ ફેલાવા ગયા એને પણ પ્રજાએ ઉતર આપી દીધો કે "બાપા હવે ઘેર બેસો અને ફાફળા ગાંઠિયા ખાવ ને ભજન કરો".
અને રહી વાત તો કોંગ્રેસીઓની તો, આ લોકો સોનીયાનો પાલવ છોડતા નથી, વિચાર ઈ આવે છે કે આ કોંગ્રેસવાળા દેશ ને વફાદાર છે કે સોનિયાના ? આ કોંગ્રેસવાળા એ ગેર કાયદેસર બાંગલાદેશીઓને આસામ વસાવી ને મુળ આસામી હિન્દુઓને લઘુમતિમાં મુકી દીધા છે અને આજે આસામ માં સાત જેટલા બંગ્લાદેશી ધારાસભામાં ચૂંટાઈ આવ્યા છે. મત માટે કે સતા માટે જે પોતાના દેશ અને ધર્મ ને વેંચી મારે એને માટે ક્યો શબ્દ વાપરવો ? અને જો આપણે ગુજરાતી પણ આસામમાંથી ક'ઈ બોધપાઠ નહીં લઈ એ તો આપણી પરિસ્થતિ પણ આસામ જેવી જ થાશે.
અહીં આ કાવ્ય "ડાઘુ" જે હર્ષદ માધવ નું લખેલ છે, તે કોંગ્રેસ,સામ્યવાદી અને દેભી માનવાધિકારવાળાને અર્પણ કરું છું.

ડાઘુ

* એ લોકો કોઈને બાળવા નીકળેલા પણ
પાછા ફર્યો ત્યારે
તેઓ બળતા હતા.
થોડોક ધૂમાડો જ બચ્યો હતો.
એમની પાસે !
* સૂરજની ધગધગતી દોણી લઈને
પહાડ નીકળ્યો છે.
અ.સૌ. સાંજના શબને
અગ્નિદાહ દેવા
આકાશના કિનારે........
* એક ડાઘુએ બીજાને પૂછ્યું,
'તને મરણનો ડર લાગે છે ?'
બીજાએ માથું ધુણાવ્યું એટલીવારમાં
બંને વચ્ચેથી પસાર થઈ ગયો
4000 વોલ્ટનો એક ધ્રાસકો.
* સ્મશાન પાસે
આવેલી કીટલી પર
બેઠેલા ડાધુઓએ
ચાનો એક ઘૂંટ માર્યો ત્યાં તો--
શરુ થઈ ગયું જીવન
ખીજડાના ઝાડ પર !
* ડૂસકાંઓનું એક ટોળું લઈને
ગયેલા ડાઘુઓ
જ્યારે પાછા ફર્યા ત્યારે--
એમની સાથે હતી
સ્મશાનની શાંતિ.
--કવિ હર્ષદેવ માધવ.
આનો અર્થ એ નથી કે ભાજપવાળા દુધે ધોયેલ છે, નરેન્દ્ર મોદી જો સાચો હિન્દુઓનો રખેવાળ હોય તો એણે ગોધરાકાંડ કરવાળા નું એનકાઉંટર કરાવી નાખવું જોઈએ અને તે ન થઈ શકે તો ઓછાંમાં ઓછું મુંબઈ બોમ્બં ધડાકાના આરોપીઓ જેવા કે મમુમિયા, ઈજ્જુશેખ,સતાર મૌલાના, આવાને તો એનકાઉન્ટંર કરાવી દેવુ જોઈ એ, હિન્દુ ગુંડાઓના તો એનકાઉંટર કરાવી નાખે છે પણ મુસલમાન ગુંડાઓ જે અમદાવાદ થી લઈ ને સલાયા સુધી છે તેમના કેમ એનકાઉંટર નથી કરાવતા, 5 વર્ષ પહેલા રાજકોટમાં ભાજપવાળા ચૂંટણી પતી ગયા પછી વિજ્ય સરઘસ લઈ ને જતા હતા ત્યારે જંગલેશ્વરના મુસલમાન ગુંડાઓ એ ભાજપ ના જ કાર્યકર ને મારી નાખવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ થઈ અને આ બાયલા ભાજપવાળા કોર્ટમાં ફરી ગયાં કે અમેં ક'ઈ જોયુ નથી, હવે આ ભાજપવાળા ને કેમ હિન્દુવાદી કે'વા ? જે પોતાના કાર્યકર ના હત્યારાને સજા પણ ન અપાવી શક્યા. નરેન્દ્ર મોદી જે રીતે સભાઓના ખર્ચા કરે છે તે જોઈ ને થાય છે "આ ઓટીવાર" ક્યાંક ગુજરાત ને વે'ચી ન મ'રે તો સારું પણ આપણી પાસે કોઈ વિક્લ્પ પણ નથી બીજા જે પક્ષ છે તે તો હિન્દુ વિરોધી છે એટલે કમને સ્વીકાર કરવો જ પડે કે "ન મામા કરતા તો કાંણો મામો સારો".
અહી આ કાવ્ય "મોતીચંદને" જે કવિ નવનીત ઉપાધ્યાય નું છે તે ભાંડ વગરની ભવાઈના સૂત્રધાર નરેન્દ્ર મોદીની અર્પણ કરુ છું.

મોતીચંદને

મોતીચંદને કાંઈ ન જોવા દેવું
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું
ભીંત્યુને લ્યો ગાર્ય કરો ને ઘરને ઝાલી રાખો,
વાંકાચૂંકા વાંસડાનાં....નેવા....બાંધી ....રાખો,
મોતીચંદને લીમડાની છાંયડીનું મોંઘું મૂલ ગણી ના દેવું
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું
શેરીમાં સોપો પાડી દો મોતીચંદ ઊંઘે છે,
કૂતર્યાને છોકરા તગડો મોતીચંદ ઊંઘે છે ;
મોતીચંદને પરોઢનાં ચાંદરણંનું સોનું દબ્બાવી દેવું.
મોતીચંદને બીડીના બદલામાં જમ્મુ-કાશ્મીર માગી લેવું.
--કવિ નવનીત ઉપાધ્યાય.


Labels:

Tuesday, September 04, 2007

janmashatami - જનમાષ્ટમી


આજે જન્માષ્ટમી છે અને રાત્રિના 12.22 થયા છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે.આ નિમિતે સુરેશ દલાલ નુ કાવ્ય અહીં પ્રસ્તુત કરુ છું.
શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહી ઘૂંઘટપટ રે ઢળ્યા
એને તમે કહો ખોલશો ક્યારે ?
રાહુ ચંદ્ર્ને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે
શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ :
અમને કાંઈ સમજ નહીં.
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો.
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?
-તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?
શ્યામ તમે પણ સાંચુ કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીયે થા'ય ખરુ કે નહીં ?
અમે તમારી આગળપાછળ
આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીનાં આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીયે થાય ખરુ કે નહીં ?
શ્યામ તમારી સાથે મારે
ક્યા જનમની સગાઈ થઈ છે
ને ક્યા જનમમાં સગપણ ફળશે
રે, ક્યાં લગી આ જીવ ટ્ળવળશે
--મને કૈં કહેશો ક્યારે ?
--કવિ સુરેશ દલાલ

જનમાષ્ટમી ની શુભેચ્છા સર્વને
જ્ય કનૈયાલાલ કી,શ્રીકૃષ્ણ શરણં મંમ:

Labels:

Friday, August 31, 2007

self perception - સ્વ બોધ

31/8/2007 શ્રાવણ વદ 3/4 શુક્રવાર.

આ વર્ષે ખુબ જ વરસાદ પડયો છે અને આજે પણ વરસાદ ચાલું જ છે ચારે બાજુ વેંકરા ભરપૂર ચાલ્યા જાય છે અને જે પાણીની અછત હતી તે દૂર થઈ ગઈ એમ લાગે છે પણ જેવો શિયાળો આવશે ત્યાં જ પાછી પાણી ની મોંકાણ, જો આજે જે પાણી નકાંમુ વહી જાય છે તે જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો કોઈ દીવસ પાણી ની સમસ્યા ન રહે પણ કરે કોણ ? સરકાર જે નાના ચેક ડેમ બાંધે છે તે તો ફકત કાગળ ઉપર હોય છે અને જે બંધાય છે તેમાંથી 99% એટલા હલકી જાતના બનાવે છે કે તે પહેંલા વરસાદમાં જ તૂટી જાય છે, અને ગામનાં લોકો ને કોઈ રસ હોતો નથી કારણ કે જો બોલે તો જે બનાવવાળા રાજકિય પક્ષના કુતરાઓ તેને પીંખી નાખે એટલે ઉછીની સુરી કોણ લે ? એટલે સહન કરતુ જાવાનું કારણ કે આપણ ને દેશમાં સારા 542 સંસદ સભ્યો કે 182 ધારાસભ્યો(ગુજરાત) કે 42 નગરપાલિકા(પોરબંદર) સભ્યો પણ મળતાં નથી એક મહેન્દ્ર મશરુ ધારાસભ્ય તરીકે સારો હતો પણ એ પણ હમણાં એની જમાતમાં ભળી ગયો( ગેરકાયેદસર દારુ વેચવાળા ને સાથ આપી). આપણા દુર્ભાગ્ય કે નથી આપણ ને સ્તાલીન,માઓ,હિટલર કે ચર્ચિલ જેવા નેતા મળે કે જેથી આ કજાત નેતાઓ ને શુળી ઉપર ચડાવે.

સ્વબોધ.

આપણે આપણી રીતે રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેવું ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રુપ ભૂલવું.
મૂંગા થઈને સહેવું અને કહેંવું હોય તો પંખીની જેમ કહેવું !
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
પગલાં ભૂસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું.
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.
લેવુંદેવું કાંઈ કશું નહીં : કેવળ હોવું : એ જ તો રહેવું :
ખડક થવું હોય તો ખડક : નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
- કવિ સુરેશ દલાલ



Labels:

Monday, May 14, 2007

વિદાય - given send-off

કવિ જગદીશ જોષી આપણી ગુજરાતી ભાષાનાં આભુષણ હતાં અને જયંત પાઠકે તો તેમની ઊંચાઈ જોઈ એને ગુજરાતી કવિતાનો "લોંગ ફેલો" કહેતા હતા.આવો આપણો જગદીશ 21 દિવસ કોમામાં રહીને આપણને છોડી જતો રહ્યો પરંતુ તેમની કવિતા હમેંશા જીવતી રહેશે. કવિ જગદીશ જોષીની રચના "વિદાય" પ્રસ્તુત કરું છું.

વિદાય ?

આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?
હોઠેથી ચપટું એક ખરી ગયું સ્મિત અને અમળાયું મૌન મારા શ્વાસથી !
પારેવાની પાંખ પરે અક્ષર આંકીને આછો
સંદેશો કહાવે તણખલું ;
એકાંતે અટવાતું સાંભળે ન તાડ, છતાં
આભ શાને છ્ળતું આછકલું....
પાદરની પરસાળે બેસીને મોરલો ચીતરતો ટોડલાને ચાંચથી ;
આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આખથી ?
ભીની આ લ્હેરખીને વીંધીને વહી ગઈ
ફૂલોની ફોરમતી ચેતના ;
કોકિલના કંઠે કાં વ્હેતી મૂકી છે આજ
વણસેલી વાંસતી વેદના ?
લીમડાની ડાળીઓની વચ્ચેથી મોગરાનું ખરતું મે ફૂલ જોયું ક્યાંકથી !
આંગળીએ ફરકી કહ્યું 'આવજો' ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?

--કવિ જગદીશ જોષી.


Sunday, February 25, 2007

broken love - નિષ્ફળ પ્રેમ

પ્રેમની નિષ્ફળતા વિશે "સુરેશ દલાલ" કહે છે ;

વર્ષો પહેલાંની વાત છે.
એક વાર મેં ભરબપોરે
તારી સાથે પ્રેમનો એકરાર કર્યો હતો.
મને તો મળ્યું હતું કેવળ સ્મિત
તારી સંમતિના પ્રતીક જેવું.
પછી તો સાંજ પાછી સાંજ
આપણે હળતાં રહ્યાં, મળતાં રહ્યાં
એકમેકમાં ઓગળતાં ગયાં
નદીનો કાંઠો, લીલુંછમ ઘાસ
સરોવરમાં તરતા હંસ
ડામરની કાળી સડક
સડક પરથી પસાર થતાં
વાહનો
બધું જ આપણને ચિક્કાર
ગમતું હતું
આપણી હથેળીમાં
જાણે કે આખું વિશ્વ.
હવે હથેળીમા જોંઉ છું
તો દેખાય છે માત્ર
આડીઅવળી હસ્તરેખાઓ
અને એમાં ખોવાઈ ગયેલી તું
એકલો રહેલો હું.
તું તુંના બંને કાંઠાની વચ્ચે
નદી સુકાઈ ગઈ છે
અને ઘાસ પીળું પડી ગયું છે.
--સુરેશ દલાલ ( હયાતીના હસ્તાક્ષર )



Tuesday, January 23, 2007

vasant panchami - વસંત પચંમી

આજે વસંત પચંમી છે અને આમય આપણે પ્રકુતિ પ્રત્યે એટલી લાગણી નથી કે વગડામાં જઈ એનું સૌંદર્ય જોઈએ, હા,આપણા માટે વસંત પચંમી એટલે લગ્નમાં જાવાની ઋતુ.
કવિ જયંત પાઠક ના કાવ્ય નો આનંદ માણીએ અને થોડાક માણસ થાઈ એ.

વસંત

વાયા વસંતપવનો વનમાં, દ્રુમોની
કાયા થકી પરણ-ચૂંદડીઓ ઉડાડી ;
શી સોહતી ફૂલથી અંગકલા ઉઘાડી !
સૌ રંગમાં, શરમ રાખતું કોણ કોની ?

ફૂલે ફૂલે ભ્રમરટોળી ભમંત ધૃષ્ટ
એકેય અંગ નહી અંગથી રહે અસ્પૃષ્ટ ;
ઊડે ઘટામહીંથી પંચમનો પરાગ ;
ને રોમરોમ ઊઠી ખાખરાઅંગ આગ.

વાયા વસંતપવનો જનમાં, અનંગે
પ્રત્યેક પુષ્પશર તીણું બનાવી તાક્યું ;
વીંધાઈને જ રમવાનું સુરકત રંગે
રહેતું રખે ટીપુંય મોદતણું અચાખ્યું !

વીતી શિશિર પણ આગળ છે ઉનાળો
તો ચાલ, બાંધી લઈએ પ્રિય એક માળો.
-કવિ જયંત પાઠક


My Photo
Name: ashok odedra
Location: porbandar, gujarat, India

live in india and working athletic coach.આપણી ગુજરાતી ભાષા ના કાવ્ય અને લેખો લોકો વાઁચી શકે અને ગુજરાતી ભાષા પ્રત્યે લોકો ની રુચી વધે તે માટે આ વિભાગ શરુ કરવામા આવ્યો છે અને મને આશા છે કે આપને પણ ગમશે અને ભાષા હશે તો સંસ્ક્રૃતિ ટકશે "ભાષા જાશે તો સઁસ્ક્રુતી પણ જાશે અને જો ભાષા રહેશે તો સંસ્ક્રૃતિ પણ રહેશે" તો ચાલો આપણે આપણી ભાષા નો પ્રચાર કરીએ અને કહીયે કે "મને મારી ભાષા ગમે છે કારણ કે હુ મારી માને મા કહી શકુ છુ"

Page copy protected against web site content infringement by Copyscape નેટ રેડિયો ઉપર છે. View blog authority
 
Locations of visitors to this page Free Website Counters
Free Website Counters